સ્નાનયાત્રા-જ્યેષ્ઠાભિષેક

આજે મંગલાઆરતી પછી પ્રભુને રજની અધિવાસિત શીતલ સુગંધી જલથી સ્નાન થાય છે. સ્નાન સમયે કેસરી કિનારીના સફેદ ધોતી ઉપરણો ધરાય છે. સ્નાન થતાં દર્શન વૈષ્ણવોને થાય છે. ટેરો ખૂલ્યા પછી તિલક-અક્ષત થાય છે. તુલસી સમર્પણ થાય છે. સ્નાનનો સંકલ્પ થાય છે. ત્યારપછી શંખથી સ્નાન કરાવાય છે. સ્નાન થાય ત્યારે પુરુષસૂક્ત બોલાય છે. શંખનાદ, ઝાલર, ઘંટા…

શ્રીયમુનાષ્ટપદી

શ્રીયમુનાષ્ટપદી (રચનાઃ શ્રીગુસાંઈજી) (રાગ – બિલાવલ) નમો દેવિ યમુને નમો દેવિ યમુને હર કૃષ્ણ મિલનાંતરાયમ્ । નિજનાથ માર્ગ-દાયિની કુમારી કામ-પૂરિકે કુરૂ ભક્તિરાયમ્ ।।ધ્રુવ।। મધુપકુલ-કલિત કમલાવલિ-વ્યાપદેશ ધારિત શ્રીકૃષ્ણયુત ભક્ત હૃદયે । સતત-મતિ-શયિત હરિ-ભાવના-જાત-તત્સારૂપ્ય ગદિત હૃદયે ।।૧।। નિજ-કૂલ-ભવ વિવિધ-તરુ-કુસુમ-યુત નીર શોભયા વિલસ-દલિ વૃંદે । સ્મારયસિ ગોપીવૃંદ-પૂજિત-સરસ-મીશવ પુરાનંદ કંદે ।।૨।। ઉપરિચલ-દમલ-કમલા-રુણદ્યુતિ-રેણુ પરિમિલિત જલભરેણામુના । બ્રજયુવતિ કુચ કુંભ કુંકુંમા…

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૨)

(૨) શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે । શ્રીવલ્લભનામની મધુરતા વિશે આપણે જોયું. હવે શ્રીવલ્લભ સ્વરૂપની મધુરતાનું શ્રીહરિરાયચરણે કરેલું વર્ણન જોઇશું. શ્રીહરિરાયજી કહે છે: ‘શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે.’ શ્રીવલ્લભ ‘મધુરાકૃતિ’ છે. મધુરાકૃતિ શબ્દની સંઘિ બે રીતે છૂટી પડે છે. (૧) મધુર + આકૃતિ (૨) મઘુરા + આકૃતિ. આ શબ્દનો સમાસ છૂટો પાડીએ તો (૧) મધુર છે આકૃતિ જેમની (૨)…

ગંગાદશમી – ગંગા દશહરા

આજે જેઠ સુદ દસમ. આજે શ્રીયમુનાજીનો તથા શ્રીગંગાજીનો ઉત્સવ મનાય છે. શ્રીયમુનાજીએ કૃપા કરી પોતાની બહેન ગંગાજીનું પ્રભુ સાથે શુભ મિલન કરાવ્યું હતું અને જલવિહાર નિમિત્તે ગંગાજીએ પ્રભુ મિલનનો આનંદ લીધો હતો. આજે જેઠ સુદ દશમના દિવસે ગંગાજી પૃથ્વી ઉપર પધાર્યાં અને દશે ઇન્દ્રિયો ઉપર આધિપત્ય મેળવી તેમની પ્રભુ મિલનની ઝંખના શ્રીયમુનાજી દ્વારા પૂર્ણ થઈ…

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૧)

રચના : શ્રીહરિરાયજી ભાવાર્થ : શ્રી રમેશભાઈ પરીખ (રાગ-બિહાગ) શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે । સદા બસોમન યહ જીવનધન, સબહીનસૌં જુ કહત હૈં ટેરે ।।૧।। મઘુર વદન અતિ મઘુર નયન, ભ્રોંહયુગ મધુર અલકન કી પાંત । મધુર ભાલ અરુ તિલક મઘુર, અતિ મધુર નાસિકા કહી ન જાત ।।૨।। મધુર અધર રસરૂપ  મધુર  છબિ, મધુર અતિ લલિત કપોલ…

ડોલોત્સવ એટલે શું ? પુષ્ટિમાર્ગમાં આ ઉત્સવ કેવી રીતે અને કયા ભાવથી મનાવવામાં આવે છે ?

ડોલ એટલે પત્ર-પુષ્પ વગેરેથી સજાવેલો ઝૂલો. આ ઝૂલામાં શ્રીપ્રભુને ઝૂલાવવાનો ઉત્સવ એટલે ડોલોત્સવ. ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો ઉત્સવ મનાવાય છે. તે દિવસે પ્રભુને નૂતન વસ્ત્ર, શૃંગાર, સામગ્રી વગેરે અંગીકાર થાય છે. પ્રભુ આખો દિવસ વ્રજભક્તો સાથે અને વ્રજભક્તો પ્રભુ સાથે પરસ્પર હોળી ખેલનો આનંદ માણે છે. કેસૂડો અને વિવિધ રંગોથી ખેલે છે. અને ખેલાવે…

હોરી ડંડારોપણ ક્યારે થાય, વ્રજમાં કઈ જગ્યાએ થાય, શા માટે થાય?

હોરી ડંડારોપણ પૂનમે થાય છે. વ્રજમાં ગોકુળ-બરસાનાની ગલીઓમાં હોળી ખેલાય છે. ગામની બહાર ચોકમાં ગોપ-ગોપીઓના બે યૂથ વચ્ચે હોળી ખેલાય છે. યમુનાજીના કિનારે, વૃંદાવનમાં, કુંજનિકુંજમાં બધે પ્રભુ વ્રજભક્તો સાથે હોળી ખેલે છે. આમ, જ્યાં જ્યાં હોળી ખેલ થાય છે ત્યાં ત્યાં બધે હોળી ડંડાનું આરોપણ થાય છે. આ ડંડારોપણમાં કામદેવનું આરોપણ થાચ છે. એવો ભાવ…

હોળીખેલ થાય ત્યારે પ્રભુના ચરણારવિંદ વસ્ત્રથી ઢાંકી દેવામાં કેમ આવે છે?

ભક્તો પ્રભુને હોળી ખેલાવે ત્યારે પ્રભુના ચરણારવિંદ ઉપર વસ્ત્રો ઢાંકી દેવામાં આવે છે. તેનું કારણ એ છે કે, ભક્તો પ્રભુનાં ચરણારવિંદના દર્શન કરે તો, હૃદયમાં દાસ ભાવ આવે અને દાસત્વ આવે તો, પ્રભુ સાથે સખ્યભાવથી હોરી ખેલવાનું શક્ય ન બને. હોરી ખેલની લીલા સખ્યભાવની અને કિશોરલીલાની છે.