શ્રીવલ્લભશરણાષ્ટકમ્
રચના – શ્રીહરિરાયજી
છંદ – અનુષ્ટુપ
નિઃસાધન જનોધ્ધાર પ્રકટીકૃતઃ ।
ગોકુલેશસ્વરૂપઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૧।।
નિઃસાધન મનુષ્યોનો ઉધ્ધાર કરવા પ્રકટ થયેલા શ્રીગોકુલેશ સ્વરૂપ એવા શ્રીવલ્લભ (શ્રીમહાપ્રભુજી) મારો આશ્રય છે. (૧)
ભજનાનંદ – દાનાર્થં પુષ્ટિમાર્ગપ્રકાશકઃ ।
કરુણાવરણીયઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૨।।
ભક્તોને સેવાના આનંદનું દાન કરવા માટે પુષ્ટિ (અનુગ્રહ) માર્ગને પ્રકટ કરનારા, કરુણા (દીનતા)થી પ્રાપ્ત કરી શકાય એવા શ્રીવલ્લભ મારો આશ્રય છે. (૨)
સ્વામિનીભાવ-સંયુક્ત-ભગવદ્ભાવ-ભાવિતઃ ।
અત્યલૌકિકમૂર્તિઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૩।।
શ્રીસ્વામિનીજીના ભાવથી યુક્ત તથા ભગવદ્ ભાવથી ભાવયુક્ત, અતિ અલૌકિક સ્વરૂપવાન શ્રીવલ્લભ મારો આશ્રય છે. (૩)
શ્રીકૃષ્ણવદનાનંદો વિયોગાનલમૂર્તિમાન્ ।
ભક્તિમાર્ગાબ્જ-ભાનુઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૨।।
સદાનંદ શ્રીકૃષ્ણના મુખારવિંદના આનંદરૂપ, વિયોગરૂપી અલૌકિક અગ્નિસ્વરૂપ, ભક્તિમાર્ગ રૂપી કમળને વિકસાવનાર સૂર્યરૂપ શ્રીવલ્લભ મારો આશ્રય છે. (૪)
રાસલીલારસભર-સમાક્રાન્તાઽખિલાંગભૃત ।
ભાવરૂપાઽખિલાંગઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૫।।
રાસલીલાના દિવ્ય રસથી સૌ ભક્તોને સારી રીતે રસપૂર્ણ કરનારા, ભાવાત્મક સર્વ અંગોવાળા શ્રીવલ્લભ મારો આશ્રય છે. (૫)
શ્રીભાગવતભાવાર્થા – વિર્ભાવાર્થાવતારિતઃ ।
સ્વામિસંતોષહેતુઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૬।।
શ્રીભાગવતના ગૂઢાર્થને પ્રકટ કરવા જેમણે અવતાર ધારણ કર્યો છે એવા અને સ્વામી શ્રીકૃષ્ણના સંતોષના કારણરૂપ શ્રીવલ્લભ મારો આશ્રય છે. (૬)
વલ્લવીવલ્લભાન્તઃસ્થ લીલાનુભવ વલ્લભઃ ।
અન્યાસ્ફુરણરૂપઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૭।।
શ્રીગોપીજનવલ્લભ શ્રીકૃષ્ણના અંતઃકરણની લીલાનો અનુભવ જેમને વહાલો છે તથા તેને લઈને જેમના હૃદયમાં અન્ય વિચાર જાગતો જ નથી એવા શ્રીમહાપ્રભુજી-શ્રીવલ્લભ મારો આશ્રય છે. (૭)
જિતાભોજદાંભોજ – વિભૂષિતવસુંધરઃ ।
સદા ગોવર્ધનસ્થઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૮।।
પોતાની અતિશય કોમળતા અને સુંદરતાથી કમળને જીતનારા, ચરણકમળોથી પૃથ્વીને વિભૂષિત કરનારા, સદા શ્રીગિરિરાજજીમાં બિરાજમાન એવા શ્રીવલ્લભ મારો આશ્રય છે. (૮)
અનન્યસ્તન્મના નિત્યં પઠેદ્યઃ શરણાષ્ટકમ્ ।
સ લભેત્ સાધનાભાવ – યુક્તોપ્યેતત્પદાશ્રયમ્ ।।૯।।
જે જીવ અનન્યાશ્રિત મનવાળો થઈને આ શરણાષ્ટકમ્નો પાઠ નિત્ય કરશે, તે નિઃસાધન હશે તો પણ, તે શ્રીમહાપ્રભુજીના ચરણકમળના દૃઢ આશ્રયને પ્રાપ્ત કરશે.
ઇતિ શ્રીહરિદાસ વિરચિતં શ્રીવલ્લભશરણાષ્ટકં સંપૂર્ણમ્ ।
આ પ્રમાણે શ્રીહરિરાયજી રચિત શ્રીવલ્લભશરણાષ્ટક સ્તોત્ર સંપૂર્ણ થયું.