પુષ્ટિમાર્ગનાં પાંચ તત્વનું ધોળ
પુષ્ટિમાર્ગનાં પાંચ તત્વ નિત્ય ગાયે જી, તેના જન્મોજન્મના પાપ સર્વે જાયે જી. (૧) શ્રીજી શ્રીનવનીત પ્રિયા સુખકારી જી, સમરો શ્રીમથુરાનાથ કુંજબિહારી જી. (૨) શ્રીવિઠ્ઠલેશ રાય દ્વારકેશ રાય ગિરિધારી જી, શ્રીગોકુલચંદ્રમાજી શ્રીમદનમોહન પર વારી જી. (૩) બીજું તત્વ શ્રીવલ્લભકુળને ભજીએ જી, કુળ લોકલાજ ને કા’ન સર્વે તજીએ જી. (૪) ત્રીજું તત્વ શ્રીગોવર્ધન – ગ્રંથ ગાઈએ જી.…