પુષ્ટિમાર્ગનાં પાંચ તત્વનું ધોળ

પુષ્ટિમાર્ગનાં પાંચ તત્વ નિત્ય ગાયે જી, તેના જન્મોજન્મના પાપ સર્વે જાયે જી. (૧) શ્રીજી શ્રીનવનીત પ્રિયા સુખકારી જી, સમરો શ્રીમથુરાનાથ કુંજબિહારી જી. (૨) શ્રીવિઠ્ઠલેશ રાય દ્વારકેશ રાય ગિરિધારી જી, શ્રીગોકુલચંદ્રમાજી શ્રીમદનમોહન પર વારી જી. (૩) બીજું તત્વ શ્રીવલ્લભકુળને ભજીએ જી, કુળ લોકલાજ ને કા’ન સર્વે તજીએ જી. (૪) ત્રીજું તત્વ શ્રીગોવર્ધન – ગ્રંથ ગાઈએ જી.…

આજે વધામણાં રે ચંપારણ્ય ધામમાં

આજે વધામણાં રે ચંપારણ્ય ધામમાં, શ્રીલક્ષ્મણ ઘેર વલ્લભ પ્રભુ પ્રગટ્યા. વધામણાં રે૦ ઘર ઘરથી આવ્યા છે વૈષ્ણવ ટોળે મળી, નવા નવા સહુ સાજ જો સજાવ્યા. વધામણાં રે૦ નિરખી રહ્યા સૌ હૈયે આનંદભરી, શ્રીવલ્લભ  મુખ  જોઈ  હરખાયા. વધામણાં રે૦ ચંપારણ્ય ધામમાં નંદ મહોત્સવ છાયો, નાચતાં  ગોપ  ગોપી  આવ્યાં. વધામણાં રે૦ ચંપારણ્યની ગલીઓમાં દહીંદૂધ વેરાયાં, ગુલાલને  પુષ્પો …

મારું મન મોહ્યું રે

મારું મન મોહ્યું રે, શ્રીગિરિધરલાલને લટકે,


લટકે ને વળી મટકે, મારું મન મોહ્યું રે શ્રી ગિરિધરલાલને લટકે.


મોર  મુકુટ  મકરાકૃત  કુંડલ,  પીતાંબરને  પટકે… મારું૦


વેણુ વગાડી વ્હાલે વશ કરી લીધાં, વેંત વાંસલડીના કટકે… મારું૦


હું જલ જમુના ભરવા ગઈ’તી, હેલ ચડાવીને અટકે… મારું૦


‘વલ્લભ’ના સ્વામી સંગ રંગભર રમતાં, ઘર ખોયા નવ ખટકે… મારું૦

મને મારું ગોકુલ યાદ બહુ આવે

મને મારું ગોકુલ યાદ બહુ આવે, મને તારા મથુરામાં જરાયે ન ફાવે. મને મારા ગોવાળ યાદ બહુ આવે, મારા માટે નવાં નવાં માખણ લાવે. મને મારી ગોપીઓ યાદ બહુ આવે, મારા માટે નવાં નવાં ખિલૌના લાવે. મને મારાં જશોદામા યાદ બહુ આવે, ખાંડણીએ બાંધ્યો એ તો કેમ રે વિસરાય. મને મારાં યમુનાજી યાદ બહુ આવે,…

શ્રીનાથજીનું વદનકમળ

શ્રીનાથજીનું વદનકમળ (રચનાઃ ભક્તકવિ દયારામ) [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2011/01/Shri-Nathji-Nu-Vadankamal_Rupa-Gandhi.mp3|titles=Shri Nathji Nu Vadankamal_Rupa Gandhi] (સ્વરઃ રૂપા ગાંધી) જેણે એકવાર શ્રીનાથજીનું વદનકમળ જોયું. મનુષ્ય દેહ ધર્યો તેનો સફળ છે, જન્મ મરણ દુઃખ ખોયું….જેણે૦ કોટિ કલ્પનું મેલું થયેલું મન, એક પલકમાં ધોયું….જેણે૦ મેવાડ દેશમાં બિરાજે મારો વહાલમો, શેષ શંકરે ચિત્ત પ્રોયું….જેણે૦ કમળ ચોક રતન ચોક જગમોહન જોયું, રળ્યો એક બાકી સર્વે…

શ્યામ રંગ સમીપે ન જાવું

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2011/01/Shyam-Rang-Samipe_Rupa-Gandhi.mp3|titles=Shyam Rang Samipe_Rupa Gandhi] (રચનાઃ ભક્તકવિ દયારામ) (સ્વરઃ રૂપા ગાંધી) શ્યામ રંગ સમીપે ન જાવું મારે, આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. જેમાં કાળાશ તે તો સહુ એક સરખું, સર્વમાં કપટ હશે આવું… મારે૦ કોકિલાનો શબ્દ હું સુણું નહિ કાને, કાગવાણી શકુનમાં ન લાવું… મારે૦ નીલાંબર કાળી કંચુકી ન પહેરું, જમુનાના નીરમાં ન નહાવું……

સાચા સગા છો શ્રીનાથજી

સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી… (૧) બીજું સગું તે સૌ મુખથી કહેવાનું, દુઃખમાં નહિ આવે કોઈ સાથજી… સોહાગી. (૨) અખિલ બ્રહ્માંડના ઈશ છે એ મહાપ્રભુ, જગતની દોરી જેને હાથજી… સોહાગી. (૩) એ પ્રભુને છોડી બીજે જયાં જયાં ભટકવું, ત્યાં ત્યાં ધુમાડાના બાથજી… સોહાગી. (૪) ‘ગોપાલલાલ’ એમના ચરણમાં જવાને, શરણે પડયો…

વાંકે અંબોડે શ્રીનાથજીને

વાંકે અંબોડે શ્રીનાથજી ને સુંદર શ્યામ સ્વરૂપ, શ્રી વલ્લભસુત સેવા કરે, એ શ્રી ગોકુલના રે ભૂપ. (૧) પાઘ બાંધે વહાલો જરકસી, ને સુંદર વાઘા સાર, પટકા તે છે પચરંગના, સજીયા તે સોળે શૃંગાર. (૨) કેસરી તિલક સોહામણા, નાસિકા વેસર સાર, ચિબુકની અતિ કાંતિ છે, કંઠે મોતીના હાર. (૩) હડપચીએ હીરલો ઝગમગે, તેના તેજ તણો નહીં…

શ્રાવણી પર્વ (૭)

આજે શ્રાવણ વદ ચોથ. પ. પૂ. ગો. ૧૦૮ ઇન્દિરાબેટીજી મહોદયા – પૂ. શ્રી જીજીનો મગંલ જન્મદિવસ. આપશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ તેમજ આપશ્રીના શ્રીચરણોમાં સદૈન્ય દંડવત્પ્રણામ સાથે અનેકાનેક શુભકામનાઓ પાઠવતાં ધન્યતા અનુભવીએ છીએ. આ મંગલ જન્મદિવસના ઉપલક્ષમાં શ્રાવણી પર્વ અંતર્ગત આપણે આપશ્રી રચિત કેટલાંક સુંદર કાવ્યો માણ્યાં. આ ભક્તિસભર રચનાઓ આપશ્રીના વૈવિધ્યસભર વ્યક્તિત્વનું મહત્વનું પાસું…

શ્રાવણી પર્વ (૬)

મુજને મેળાવ રચનાઃ પ. પૂ. ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા ———————————————————————————————- [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/shravani-parva-6.mp3|titles=shravani parva-6] હો… યમુના તારા માધવશું… મુજને મેળાવ મારા મનડાનો મોર મારા આંગણે નચાવ… હો… હે યમુના તારા. મારા કેશમાં મોગરાનો… ગજરો ગૂંથાવ મારી સેંથીમાં સિન્દુર એના હાથનું પુરાવ… મારા મનડાનો મોર. મને કાળા તે રંગની…. કંચૂકી પહેરાવ મારા કંઠે કઠુલો એના રંગનો જડાવ….…