શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૩)

(૩) શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે । સદા બસો મન યહ જીવનધન, સબહીન સોં જુ કહત હૌં ટેરે । શ્રીહરિરાયજી પ્રભુચરણે આ કીર્તનની પ્રથમ પંક્તિમાં શ્રીવલ્લભ-નામ અને શ્રીવલ્લભ-સ્વરૂપની મધુરતાનો પરિચય આપણને કરાવ્યો. પોતાના આવા મધુરાકૃતિ શ્રીવલ્લભને, શ્રીહરિરાયજી હવે બીજી પંક્તિમાં ‘જીવનધન’ કહે છે. જીવન અને ધન વિશેના દૃષ્ટિકોણ શાસ્ત્રતત્વ અને મર્મજ્ઞોના પણ એક નથી, ત્યાં આપણી સામે…

શ્રીયમુનાષ્ટપદી

શ્રીયમુનાષ્ટપદી (રચનાઃ શ્રીગુસાંઈજી) (રાગ – બિલાવલ) નમો દેવિ યમુને નમો દેવિ યમુને હર કૃષ્ણ મિલનાંતરાયમ્ । નિજનાથ માર્ગ-દાયિની કુમારી કામ-પૂરિકે કુરૂ ભક્તિરાયમ્ ।।ધ્રુવ।। મધુપકુલ-કલિત કમલાવલિ-વ્યાપદેશ ધારિત શ્રીકૃષ્ણયુત ભક્ત હૃદયે । સતત-મતિ-શયિત હરિ-ભાવના-જાત-તત્સારૂપ્ય ગદિત હૃદયે ।।૧।। નિજ-કૂલ-ભવ વિવિધ-તરુ-કુસુમ-યુત નીર શોભયા વિલસ-દલિ વૃંદે । સ્મારયસિ ગોપીવૃંદ-પૂજિત-સરસ-મીશવ પુરાનંદ કંદે ।।૨।। ઉપરિચલ-દમલ-કમલા-રુણદ્યુતિ-રેણુ પરિમિલિત જલભરેણામુના । બ્રજયુવતિ કુચ કુંભ કુંકુંમા…

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૨)

(૨) શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે । શ્રીવલ્લભનામની મધુરતા વિશે આપણે જોયું. હવે શ્રીવલ્લભ સ્વરૂપની મધુરતાનું શ્રીહરિરાયચરણે કરેલું વર્ણન જોઇશું. શ્રીહરિરાયજી કહે છે: ‘શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે.’ શ્રીવલ્લભ ‘મધુરાકૃતિ’ છે. મધુરાકૃતિ શબ્દની સંઘિ બે રીતે છૂટી પડે છે. (૧) મધુર + આકૃતિ (૨) મઘુરા + આકૃતિ. આ શબ્દનો સમાસ છૂટો પાડીએ તો (૧) મધુર છે આકૃતિ જેમની (૨)…

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૧)

રચના : શ્રીહરિરાયજી ભાવાર્થ : શ્રી રમેશભાઈ પરીખ (રાગ-બિહાગ) શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે । સદા બસોમન યહ જીવનધન, સબહીનસૌં જુ કહત હૈં ટેરે ।।૧।। મઘુર વદન અતિ મઘુર નયન, ભ્રોંહયુગ મધુર અલકન કી પાંત । મધુર ભાલ અરુ તિલક મઘુર, અતિ મધુર નાસિકા કહી ન જાત ।।૨।। મધુર અધર રસરૂપ  મધુર  છબિ, મધુર અતિ લલિત કપોલ…

વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા (ભાગ-૮)

આ ચોથો તબક્કો શ્રીસ્વામિનીજીની સેવાનો છે. અને સ્વામિનીજી પોતાની સાથે અષ્ટસખીઓને પધરાવે છે. એમાં પણ છેલ્લા પાંચ કે છ દિવસ તો સઘન ખેલના છે. કુંજ એકાદશીથી શરૂ થઈને ડોલોત્સવ સુધી. અને આ ખેલ હોરીલીલાનો ખેલ કહેવામાં આવે છે. પહેલો વસંતલીલાનો ખેલ, બીજો ધમારનો ખેલ, ત્રીજો ફાગનોખેલ અને ચોથો હોરીનો ખેલ. પહેલો નંદભવનમાં હતો. બીજો પોરીનો…

વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા (ભાગ-૭)

તબક્કાવાર આપણે દર્શન કરી રહ્યાં છીએ. પહેલો વસંતનો તબક્કો હતો. બીજો ધમારનો તબક્કો હતો અને આ ત્રીજો જે તબક્કો છે એ છે ફાગનો તબક્કો. ફાગની અંદર હોળી એ રીતે રમાય છે કે બધા ટોળીઓમાં ઘરમાંથી બહાર નીકળે. ઉછળતા, કૂદતા, નાચતા, ગાતા, બજાવતા, પોતપોતાની મંડળીઓમાં નીકળે. અત્યાર સુધી સિંગપોરીમાં (સિંહપોળમાં) હતા. હવે સિંગપોરીમાંથી ગલીઓમાં જાય છે.…

વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા (ભાગ-૬)

એકવાર શ્રીગુસાંઈજી બહારગામ પધાર્યા. શ્રીગિરિધરજીને ભાવના જાગી કે અમારા સતધરામાં શ્રીજીબાવાને પધરાવીએ. સતધરા એટલે સાત બાળકોનાં ઘર. શ્રીગોવર્ધનનાથ યે ગિરિધરકો મન પાય । હોરી ખેલન મધુપુરી ચલન કહ્યો મુસકાય ।। શ્રીગોવર્ધનકી શિખરતેં ગિરિધરલાલ સુજાન । પધરાયે ગિરિધરનકો નિજ ઈચ્છા પહિચાન ।। સોહલસોં તેઈસકે કૃષ્ણપુરી મધુ આપ । ફાગુન વદ સાતમ સુભગ કર્યો મનોરથ હર્ષાય ।।…

વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા (ભાગ-૫)

કામનાં પાંચ બાણ છે. કામ સ્વરૂપે કૃષ્ણ બિરાજે છે અને કામ સ્વરૂપે ભક્તોના હૃદયને ખેંચી રહ્યા છે. દીપન, શોષણ, સંમોહન, તાપન અને ઉન્માદ આ કામનાં પાંચ બાણો છે. એના દ્વારા કૃષ્ણ ભક્તોને વીંધીને પોતાની તરફ ખેંચી રહ્યા છે એટલે આ જે કળશ છે એમાં પધરાવેલાં આમ્રમંજરી વગેરે ઉદ્દીપન ભાવો છે. ભક્તમાં જ્યારે પ્રેમનું ઉદ્દીપન થાય…

વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા (ભાગ-૪)

શ્રીગુસાંઈજીએ સંસ્કૃતમાં દાનલીલા લખી છે. એની પૂર્ણાહુતિમાં એમણે એક પંક્તિ લખી છે. ઈતિ શ્રીમદ્‌ વ્રજેશસ્ય તત્પ્રિયાણાં ચ વાંછિતમ્‌ મિત સર્વસ્વ દાનમ્‌ વિઠ્ઠલઃ સ્વાશ્રયે કરો. શ્રી વ્રજેશ અને વ્રજેશની પ્રિયાઓએ પરસ્પર જે દાન કર્યું, એ પોતાના હૃદયમાં બિરાજે એવી શ્રીગુસાંઈજી ભાવના કરે છે. આવાં ગોપીજનોનો પ્રેમ શ્રીઠાકોરજીમાં સહજ છે. શ્રીઠાકોરજીએ પોતે દાન કરેલો છે. એમની સમગ્ર…

વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા (ભાગ-૩)

આનંદ સિંધુ બઢ્યો હરિ તનમેં । શ્રીશ્યામા પૂરણ શશિમુખ નિરખત, ઉમગ ચલ્યો વ્રજવૃંદાવનમેં ।।૧।। ઈત રોક્યો જમુના ઉત ગોપી, કછુક ફૈલ પડ્યો ત્રિભુવનમેં । ના પરસ્યો કર્મિષ્ઠ અરુ જ્ઞાની, અટક રહ્યો રસિકન કે મનમેં ।।૨।। મંદમંદ અવગાહત બુદ્ધિબલ, ભક્ત હેત નિત પ્રત છિનછિનમેં । કછુક નંદસુવનકી કૃપા તેં સો દેખિયત પરમાનંદ જનમેં ।।૩।। સમગ્ર વસંતલીલામાં…